દિવ્યાંગ વ્યક્તિને એસ ટી બસમાં મફત મુસાફરીની યોજના । divyang bus pass yojana । viklang pass online Gujarat 2024

દિવ્યાંગ વ્યક્તિને એસ ટી બસમાં મફત મુસાફરીની યોજના । divyang bus pass yojana । viklang pass online Gujarat 2024

 

દિવ્યાંગ વ્યક્તિને એસ ટી બસમાં મફત મુસાફરીની યોજના । વિકલાંગ બસ પાસ યોજના 
વિકલાંગ વ્યક્તિને એસ ટી બસમાં મફત મુસાફરીની યોજના
દિવ્યાંગ માટે બસ પાસ યોજના

 Short Briefing: વિકલાંગ વ્યક્તિને એસ ટી બસમાં મફત મુસાફરીની યોજનાe samaj Kalyan | Viklang sahay Yojana Gujarat |divyang bus pass yojana viklang pass online Gujarat 2024 | |divyang bus pass online gujarat | gsrtc divyang musafari pass yojana । વિકલાંગ બસ પાસ યોજના । દિવ્યાંગ બસ પાસ યોજના ।PHID and Travel Pass

મિત્રો, ગુજરાત સરકાર અને નિયામકશ્રી સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ અને વૃદ્ધો માટે અનેક કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મુકેલ છે.જેમાં સંત સુરદાસ યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, વિકલાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના. જેમાંથી આજે આપણે દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના વીશે આ આર્ટિકલમાં માહિતિ મેળવીશું.

યોજનાની હાઇલાઇટ

યોજનાનું નામ

દિવ્યાંગ વ્યક્તિને મફત મુસાફરી પાસ યોજના

યોજનાની અરજી કરવા માટે

અહિં ક્લિક કરો

યોજનાની OFFICIAL WEBSITE

અહિં ક્લિક કરો

યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે

અહિં ક્લિક કરો

ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટર કરવાની માહિતિ મેળવવા માટે અહિ ક્લિક કરો

અહિં ક્લિક કરો

દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજનાનો હેતુ શું છે ?

નિયામકશ્રી સમાજ સુરક્ષા દ્વારા ૨૧ પ્રકાર ની દિવ્યાંગતા ધરાવતા “દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના” હેઠળ દિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની (GSRTC) તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર મુસાફરી કરતી વખતે બસ મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે

આ પણ વાંચો: બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોમાટે યોજનાનો લાભ મેળવવા માટેના કાર્ડ ની યોજના

એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ મેળવવાની પાત્રતા શું છે ?

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (વિકલાંગતા)  ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ:

ગુજરાત સરકાર ની એસ.ટી.બસમાં મફત મુસાફરીનો લાભ મળવા પાત્ર છે.

અન્ય દિવ્યાંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે આ બસ પાસ નો ઓળખકાર્ડ તરીકે ઉપયોગ થાય છે.

દિવ્યાંગ એસ.ટી બસ પાસ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?  

રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ,વીજળી બીલ,ડ્રાઇવિંગ લાઈસન્સ,આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડ માંથી કોઇ પણ એક)

ઉમરનો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર,મેડિકલ પ્રમાણપત્ર,જન્મનો દાખલો(તલાટીનો કે નગરપાલિકા કે મહાનગર પાલિકાનો) માંથી  કોઈ પણ એક)

જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ મેડિકલ પ્રમાણપત્ર

અરજદારની સહી

અરજદારનો દિવ્યાંગતા દર્શાવતો ફુલ સાઇઝનો ફોટો

વિકલાંગ એસ.ટી બસ પાસ યોજના મેળવવા માટે અરજી કરવાની રીત

આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની થતી હોય છે. અરજી કરવા માટે સૌ પ્રથમ esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે ત્યારબાદ આ યોજનાની અરજી કરવાની હોય છે. આવી  ઓનલાઇન આવેલ અરજીઓની ચકાસણી કરી મંજૂર કરવાની સત્તા જે તે જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની હોય છે.

    

    મિત્રો આશા રાખુ છું કે, અમારો આ આર્ટિકલ માહિતિ પુરી પાડનારો લાગ્યો હશે, જો આપને આ માહિતિ ગમી હોય તો તેને વધુ ને વધુ શેર કરવા વિનંતી છે. અને આ બાબતે કંઇ સમસ્યા હોય તો નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો 

આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

 

 

Post a Comment

0 Comments

Close Menu