ધોરણ ૧૦ અને 12 પછી શું ? । ધોરણ 10 અને 12 પછી શું । કારકિર્દી માર્ગદર્શન બૂક 2024 । std 10 ane 12 pachi su karvu in gujarati

ધોરણ ૧૦ અને 12 પછી શું ? । ધોરણ 10 અને 12 પછી શું । કારકિર્દી માર્ગદર્શન બૂક 2024 । std 10 ane 12 pachi su karvu in gujarati

 

ધોરણ 10 અને 12  પછી શુ । ધોરણ 10 અને 12 પછી શું pdf download । std 10 pachi su karvu in gujarati ।કારકિર્દી માર્ગદર્શન બૂક 2024 PDF

 

 

std 10 pachi su karvu in gujarati
ધોરણ ૧૦ પછી શું કરવુ જોઇએ ? 

    ધોરણ ૧૦ પછી શુ ? 

    સામાન્ય રીતે ધોરણ ૧૦ માં વિધાર્થીઓ તૈયારી માટે ખુબ જ મહેનત કરતા હોય છે પછી બોર્ડ ની પરીક્ષા આપ્યા પછી જેવુ પરિણામ આવે છે કે તરત જ બધાના મનમાં એક સામાન્ય સવાલ ઉભો થતો હોય છે કે હવે શુ ? પાસ તો થઇ ગયા પણ આગળ શુ કરવુ ? તમારો મિત્ર અમુક કોર્ષમાં એડમિશન લે છે તો તમને પણ એ જ કોર્ષમાં એડમિશન લેવાની લાલચ થાય પણ પરંતુ આંધળુ અનુકરણ કરવા કરતાં તો દરેક પાસાને ધ્યાનમાં રાખીને આ બાબતે નિર્ણય કરવો જોઇએ આ આર્ટિકલમાં આપણે આ જ પ્રશ્ન સામે કયા કયા વિકલ્પ લઇ શકાય તેમ છે તે વીશે માહિતિ આપવાનો પ્રયત્ન કર્યો છે તેને વિગતવાર સમજીએ

     short berfing ધોરણ 10 પછી ડિપ્લોમા | ધોરણ 10 પછી શું pdf download | ધોરણ 12 પછી શું કરવું જોઈએ?| ધોરણ 10 પછી સાયન્સ | ધોરણ 12 સાયન્સ પછી શું pdf |ધોરણ 10 અને 12 પછી શું  |Std 10 pachi su karvu in gujarati | ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ શું pdf i am confused about my career after 10th  |કારકિર્દી માર્ગદર્શન બૂક 2023 PDF 

    હાઇલાઇટ પોઇન્ટ ધોરણ ૧૦ પછી કયો અભ્યાસ કરવો જોઇએ ?

    આર્ટીકલનો વિષય 

    ધોરણ ૧૦ પછી શું અભ્યાસ કરવો જોઇએ  ?

    કારકિર્દી માર્ગદર્શન બૂક 2022 PDF

    કારકિર્દી માર્ગદર્શન બૂક 2023PDF

    કારકિર્દી માર્ગદર્શન બૂક 2024 PDF

    અહિં ક્લિક કરો 

    અહિં ક્લિક કરો 

    અહિં ક્લિક કરો

    ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦ પછી અભ્યાસ અંગેની માહિતિ જોવા માટે 

    અહિં ક્લિક કરો                                              

    આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે ની માહિતિ માટે

    અહિં ક્લિક કરો

    અમારી વેબસાઇટના વ્હોટસએપ ગ્રુપમાં જોડાવા માટે

    અહિં ક્લિક કરો

     વિસ્તરતી ક્ષિતિજ PDF ડાઉનલોડ કરવા માટે 

     અહીં ક્લિક કરો 

    ધોરણ ૧૦ પછી કૃષિ યુનિમાં ચાલતા પોલીટેકનિક કક્ષાના અભ્યાસક્રમોની  માહિતીની pdf  મેળવવા માટે

    અહિ ક્લિક કરો

    એગ્રિકલ્ચર યુનિ.ની પ્રવેશ માટેની વેબસાઇટ પર જવા માટે


    અહી ક્લિક કરો  

    ધોરણ ૧૦ પછી નીચેના વિકલ્પમાં અભ્યાસ કરી શકાય છે

    ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્યાસ.

    ડિપ્લો માં એન્જિયનિયરિંગ તેમજ અન્ય ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ.

    આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્યાસ.

    ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્યાસ.

    ફાઇન આર્ટ ડિપ્લો‍મા કોર્સમાં અભ્યાસ.

    કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાસ.

    કેટલાક પ્રોફેશનલ્સ કોર્સમાં અભ્યાાસ.

    10 પાસ પર મળતી નોકરી

    કામધેનુ યુનિવર્સિટી માં  ધોરણ ૧૦ પછી  એનિમલ હસબન્ડરી કોર્સ  

    કામધેનુ યુનિવર્સિટી માં ધોરણ ૧૦ પછી ડિપ્લોમા કક્ષાનો કોર્ષ ચલાવવામાં આવે છે જે એક વર્ષનો હોય છે આ અભ્યાસ ક્રમ કર્યા પછી ડેરી વેટેનરી વિભાગ અથવા લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર તરીકે નોકરી મેળવવાની ઉતમ તકો રહેલી છે  આ કોર્ષ માટેની વેબ સાઇટ પર જવા માટે અહિં ક્લિક કરો 

    (૧) ધોરણ ૧૦ પછી ધોરણ ૧૧-૧૨ માં અભ્યાસ અને પછી તે જ વિષયમાં ગ્રેજ્યુએશન 

    ધોરણ ૧૦ પછી  ૧૧ સાયન્સમાં  ત્રણ વિકલ્પ છે 

    Group A: Physics, Chemistry – Maths. (Biology વિષય નથી) આની વધુ માહિતિ માટે અહિં ક્લિક કરો 
    Group B: Physics, Chemistry – Biology – (Maths વિષય નથી) આની વધુ માહિતિ માટે અહિં ક્લિક કરો 
    Group C: Physics, Chemistry – Maths. (ગ્રુપ AB કહેવાય છે.)

     જે વિદ્યાર્થી મિત્રો મેડિકલ લાઇનમાં  જવા માંગે છે તેઓ Group “B” ના વિષયો પસંદ કરી શકે છે અને જેઓ ફક્ત એન્‍જિનિયરિંગ લાઇનમાં જવા માગંતા  હોય તેઓ Group “A” ના વિષયો પસંદ કરી શકે છે.
     A/B ગૃપ રાખવાથી  દરેક શાખામાં એડમીશન ની શક્યતા વધુ રહે છે પણ સાથોસાથ મહેનત પણ વધુ કરવી પડતી હોય છે 


    12 કોમર્સ પછી શું કરવું ?

     ધોરણ 12 કોમર્સ પછી, તમે ફાયનાન્સ, મેનેજમેન્ટ, લો વગેરેને લગતા ઘણા અભ્યાસક્રમો કરી શકાય છો.  મોટાભાગના વિદ્યાર્થી મિત્રો અન્ય કોર્ષની માહિતીના અભાવે  ધોરણ 12 કોમર્સ પછી B.Com કરે છે . કારણ કે તેઓ અન્ય અભ્યાસક્રમો વિશે જાણતા નથી. B.Com એક સારો કોર્સ છે પરંતુ આ સિવાય ધોરણ 12 કોમર્સ પ્છી બીજા ઘણા બધા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે તેની માહિતિ મેળવીએ 

    12મા કોમર્સ પછીના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે
    બેચલર ઓફ કોમર્સ
    બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)
    બી.કોમ (ઓનર્સ)
    બિઝનેસ સ્ટડીઝમાં સ્નાતક (BBS)
    બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS)
    બેચલર ઑફ કોમર્સ અને બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ (B.Com LLB)
    ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)
    કંપની સેક્રેટરી (CS)
    સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર (CFP)
    કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)

    12 આર્ટસ પછી શું કરવું?

    કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 આર્ટસ પછી પણ નીચે મુજબના અભ્યાસ કરી શકાય છે  
    બેચલર ઓફ આર્ટસ (BA)
    બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
    બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW)
    બેચલર ઓફ ફાઈન આર્ટસ (BFA)
    બેચલર ઓફ આર્ટસ અને બેચલર ઓફ લેજિસ્લેટિવ લો (BA LLB)
    બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (BJMC)
    બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ (BHM)
    બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
    બેચરલ ઓફ રુરલ સ્ટડિઝ (BRS)
    આના સિવાય પણ અનેક અભ્યાસક્રમો અલગ અલગ યુનિવર્સિટી મારફતે ચલાવવામાં આવતા હોય છે.

    ધોરણ ૧૦ પછી ડિપ્લોમા  એન્જિયનિયરિંગ તેમજ અન્ય ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ.

    ગુજરાતમાં ધોરણ ૧૦ પછીના પૂર્ણ સમય અને પાર્ટ ટાઇમ શિક્ષણ  પદ્ધતિ હેઠળના ઇજનેરી અને અન્‍ય ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે. એન્જિનિયરિંગ કરેલ મિત્રોને પણ કંપનીમાં નોકરી મેળવવામાં સરળતા રહે છે આપના રસ રુચી અનુસાર અભ્યાસક્રમ સિલેક્ટ કરીને અભ્યાસ કરી શકાય છે.

    અભ્‍યાસક્રમનું નામ

    સિવિલ એન્‍જિનિયરિંગ

    મિકેનિકલ એન્‍જિનિયરિંગ

    ઇલેકટ્રિકલ એન્‍જિનિયરિંગ

    કેમિકલ એન્‍જિનિયરિંગ

    પ્રિન્‍ટિંગ ટેકનોલોજી

    સિરામિક ટેકનોલોજી

    આર્કિટેકચર આસિસ્‍ટન્‍ટશિપ

    ઓટોમોબાઇલ એન્‍જિનિયરિંગ

    મેટલર્જી

    ટેક્ષ્‍ટાઇલ મેન્‍યુફેકચરિંગ

    ટેક્ષ્‍ટાઇલ પ્રોસેસિંગ

    માઇનિંગ એન્‍જિનિયરિંગ

    ઇલેકટ્રોનિક્સ એન્‍ડ કૉમ્‍યુનિકેશન એન્‍જિનિયરિંગ

    કમ્‍પ્‍યુટર ટેકનોલોજી

    ઇન્‍ફર્મેશન ટેકનોલોજી

    ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટેશન એન્‍ડ કન્‍ટ્રોલ એન્‍જિનિયરિંગ

    પાવર એન્‍જિનિયરિંગ

    મેકાટ્રોનિક્સ

    હોટલ મેનેજમેન્‍ટ એન્‍ડ કેટરીંગ ટેકનોલોજી

    પ્‍લાસ્‍ટિક એન્‍જિનિયરિંગ

    ફેબ્રિકેશન ટેકનોલોજી

    સિવિલ એન્‍જિનિયરિંગ (ડી. એલ. એમ.)

    મિકેનિકલ એન્‍જિનિયરિંગ (ડી. એલ. એમ.)

    ઇલેકટ્રિકલ એન્‍જિનિયરિંગ (ડી. એલ. એમ.)

    કોમર્શિયલ પ્રેકટિસ

    કમ્‍પ્‍યુટર એઇડેડ કોસ્‍ચ્‍યુમ ડિઝ)ઇન એન્‍ડ ડ્રેસમેકિંગ (ફક્ત મહિલાઓ માટે)

    ટેક્ષ્‍ટાઇલ ડિઝાઇન (ફક્ત મહિલાઓ માટે)

    હોમ સાયન્‍સ (ફક્ત મહિલાઓ માટે)

    કોમર્શિયલ આર્ટ (ફક્ત મહિલાઓ માટે
     

    આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્યાસ.

    જો વિધાર્થી ધોરણ ૧૦ પછી નોકરી કે રોજગાર મેળવવા માગતો હોય તો તેના માટે આઇટીઆઇ એક ઉતમ વિકલ્પ છે જેના વડે તે સરળતાથી નોકરી રોજગાર મેળવી શકે છે ગુજરાત સરકાર અને ભારત સરકારની ઉધોગનિતિ ના પરિણામે ગુજરાતમાં અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓએ રોકાણ કરેલ છે જેના કારણે આ કંપનીમાં આઇટીઆઇ ના ટેકનિકલ કોર્ષ કરેલ માણસોની માંગ રહેતી હોય છે તેમજ આ કોર્ષો પર અવારનવાર સરકારી ભરતી પણ આવતી હોય છે જેના કારણે પોતાના રસ અને રૂચી મુજબ કોર્ષને સીલેક્ટ કરવો જોઇએ જેના કારણે આપને નોકરી કે સ્વરોજગાર મેળવવામાં સરળતા રહે

     ફાઇન આર્ટ ડિપ્‍લોમાં - મલ્‍ટીમીડિયાના અભ્‍યાસક્રમો

    ફાઇન આર્ટ ડિપ્‍લોમા :

    એનિમેશન, ડિઝાઇન, પ્રોગ્રામિંગ, ગ્રાફિક, વિઝયુલાઇઝિંગ (જીવંત ઊભું કરવાની કળા) જેવા મલ્‍ટી મીડિયાના ક્ષેત્રમાં જવા માટે ફાઇન આર્ટના કોર્સ ઉપયોગી બને છે. ધોરણ ૧૦ પછી ડિપ્‍લોમાં ફાઇન આર્ટના કોર્સ ચાલે છે. જો આગળ ધોરણ ૧૧ અને ૧૨ નો અભ્‍યાસ કરો તો ત્‍યાર બાદ બેચલર ઓફ ફાઇન આર્ટનો કોર્સ વડોદરા, વલ્‍લભવિદ્યાનગર અને મુંબઇમાં ચાલે છે.

    ચિત્રકલાના અભ્‍યાસક્રમો માટે પ્રવેશ પદ્ધતિ :

    કેન્‍દ્રીય ધોરણે મેરિટના આધારે  પ્રવેશ અપાય છે. પાંચ વર્ષના ડિપ્‍લોમાં ધોરણ ૧૦ ના આધારે અને A.T.D. આર્ટ ટીચર ડિપ્‍લોમાં ૨ વર્ષ માટે ધોરણ ૧૨ ના આધારે મળે છે જેમાં , એચ.એસ.સી. અથવા એસ.એસ.સી. સાથે ડ્રોઇંગ ગ્રેડ પરીક્ષા પસાર કરેલ હોવી જોઇએ. અખબારો દ્વારા પ્રવેશ માટે જાહેર ખબર અપાતી હોય છે

    જાહેરાતની દુનિયા :

    ટેલિવિઝન, છાપાં, મૅગેઝિન વગેરે મીડિયામાં પુષ્‍કળ જાહેરાતો આવે છે. જાહેરાત આપ્‍યા વગર આ સ્‍પર્ધાના યુગમાં આગળ વધવું ખૂબ જ મુશ્‍કેલ છે. તમારી પાસે ૧૦૦ ટચનું સોનું હોય પણ જ્યાં સુધી લોકોને એ વાતની જાણ ન હોય ત્‍યાં સુધી એની કિંમત શું ? લોકો સુધી તમારી વાત પહોંચાડવી હોય તો એક માત્ર ઉપાય છે જાહેરાતો અને આજના આ યુગમાં જાહેરાતને વધુ ને વધુ સુંદર બનાવવા એનિમેશનનો ખૂબ ઉપયોગ થાય છે.જેથી હાલના યુગ માં આ ક્ષેત્રમાં કરિયર બનાવવાના ઉજળા સંજોગો ઉભા થયેલા છે

    ૫ વર્ષના ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો : (ધો. ૧૦ પછી)

    (૧) ડ્રોઇંગ એન્ડ પેઇન્‍ટિંગ
    (
    ૨) એપ્‍લાઇડ / કૉમર્શીયલ આર્ટ
    (
    ૩) સ્‍કલ્‍પચર એન્‍ડ મોડલિંગ

    ૨ વર્ષનો એ.ટી.ડી આર્ટ ટીચર અભ્‍યાસક્રમ : (ધો. ૧૨ પછી) બે વર્ષનો આ કોર્ષ હોય છે

    બાલ અધ્‍યાપન પ્રિ. પી.ટી.સી.

    આપ ધોરણ ૧૦ પાસ છો અને કોઇ કારણસર આપ આગળ અભ્‍યાસ કરી શકો તેમ નથી છતાં આપને શિક્ષક બનવું છે. તો ધોરણ ૧૦ પછી ગુજરાતમાં એક વર્ષનો પ્રિ. પી.ટી.સી. ના અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવી શકો છો.પ્રિ. પી.ટી.સી. કરી આપ બાલમંદિરમાં નોકરી મેળવી શકો અથવા આપ આપનું પોતાનું બાલમંદિર ચાલુ કરી રોજગાર મેળવી શકો.

    પ્રવેશ માટે શૈક્ષણિક લાયકાતઃ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧૦ (એસ.એસ.સી.) પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હોવી જોઇએ. પ્રવેશ એસ.એસ.સી. (ધો. -૧૦) ના ગુણક્રમ ના આધારે  મળવાપાત્ર રહેશે.

    પ્રવેશ માટે ઉમર : જે ઉમેદવારોની ઉંમર ૨૨ વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો પ્રવેશને પાત્ર ગણાશે. અનામત કક્ષાના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં ૫ વર્ષની છૂટ મળશે.

    પ્રવેશ અરજી મેળવવા થતા ભરેલ અરજીઓ આપવા અંગે : ઉમેદવાર જે બાલ અધ્‍યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઇચ્‍છતા હોય તે બાલ અધ્‍યાપન મંદિરમાંથી પ્રવેશ ફોર્મ મળશે. જે ભરીને તે જ બાલ અધ્‍યાપન મંદિરમાં આપવાનું રહેશે. પ્રવેશ ફોર્મ આપતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે એસ.એસ.સી. માર્કશીટ, ટ્રાયલ સર્ટિફીકેટ, સ્‍કૂલ સર્ટિફીકેટ, શારીરિક ખોડખાંપણનો દાખલો તથા જાતિ પ્રમાણપત્ર સાથે લઇ જવાના રહેશે.

    કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા ધોરણ ૧૦ પછીના અભ્‍યાસક્રમો

    આપણા દેશના મુખ્‍ય ઉદ્યોગોમાં કૃષિ અને પશુપાલન આજે પણ સૌથી આગળ પડતુ સ્થાન  ધરાવે છે. ગુજરાતના આ બંને મહત્‍વનાં ક્ષેત્રોમાં ગુજરાત સદાય આગળ  રહે તે હેતુથી જ ગુજરાત રાજ્યમાં ૧૯૭૨ માં પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્‍થાપના કરવામાં આવી. ત્યારબાદ ગુજરાતમાં નીચે મુજબની ચાર યુનિવર્સીટી કાર્યરત છે

    (૧) સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી

    (૨)આણંદ કૃષિ યુનિવર્સિટી
    (
    ૩) નવસારી કૃષિ યુનિવર્સિટી

    (૪) જુનાગઢ કૃષિ યુનિવર્સિટી

    ઉપરની  ચાર યુનિર્વસિટીઓમાં નીચે મુજબના અભ્‍યાસક્રમો ચલાવવામાં આવે છે.

    કૃષિવિષયક ડિપ્‍લોમા  તથા પ્રમાણપત્ર અભ્‍યાસક્રમોઃ

    કૃષિ ડિપ્‍લોમાઃ

    મુદત : ૨ વર્ષ
    પ્રવેશ લાયકાત : ધોરણ ૧૦ પાસ. ખેતીવાડી વિષયો  ધરવતા વિધાર્થીઓને અગ્રતા આપવામાં આવે છે.

    લાઇવસ્‍ટોક ઇન્‍સ્‍પેકટર (પશુધન નિરીક્ષક) :

    મુદત : ૧ વર્ષ
    પ્રવેશ લાયકાત : એસ.એસ.સી. (ધોરણ ૧૦) અંગ્રેજી વિષય સાથે, ખેડૂત પુત્રને પાંચ ટકા ગુણ  આપવામાં આવે છે.
    સંસ્‍થા : સરદાર કૃષિ નગર, દાંતીવાડા, જૂનાગઢ અને નવસારી, જરૂરિયાત મુજબ આ અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવવા વર્તમાનપત્રોમાં જાહેરાત આપી, અરજીઓ મેળવવામાં આવે છે.

    અન્‍ય પ્રમાણપત્ર અભ્‍યાસક્રમોઃ

    ગૃહ વિજ્ઞાન તાલીમ:
    મુદત : ૨ વર્ષ
    પ્રવેશ લાયકાત : એસ. એસ. સી. (શિષ્‍યવૃત્તિ માસિક રૂ. ૧૯૦)
    સંસ્‍થા : (૧) ગૃહ વિજ્ઞાન શાળા, આણંદ (૨) સરદાર કૃષિનગર

    બેકરી તાલીમઃ
    મુદત : ૨૦ અઠવાડિયાં (વર્ષમાં ૨ વર્ગ)
    પ્રવેશ લાયકાત : એસ.એસ.સી. (સંસ્‍થા મોકલે કે અનુભવ ૨ વર્ષનો હોય તો ધો. ૯ પાસ)
    સંસ્‍થાઃ બેકરી શાળા, આણંદ, જૂનાગઢ, નવસારી, સરદાર કૃષિનગર

    મરઘાં ઉછેર તાલીમઃ
    મુદત : ૧૦ અઠવાડિયાં
    પ્રવેશ લાયકાત : ઓછામાં ઓછું ધોરણ ૭ પાસ
    સંસ્‍થા : મરઘાં ઉછેર તાલીમ કેન્‍દ્ર, આણંદ

    ગ્રામ્‍ય કારીગર તાલીમ કેન્‍દ્ર

    મુદત : નવ માસ
    પ્રવેશ લાયકાત : ધોરણ ૭ પાસ
    સંસ્‍થા : ગ્રામ્‍ય કારીગર તાલીમ કેન્‍દ્ર, આણંદ

    માળી તાલીમ :
    પ્ર. લા. ધો. ૭ પાસ
    સંસ્‍થા માળી તાલીમ કેન્‍દ્ર, જૂનાગઢ

    કૃષિ યુનિ.માં અભ્યાસ કર્યા બાદ રોજગારી - સ્‍વરોજગારીની તકોઃ

    કૃષિ ડિપ્‍લોમા માટેઃ

    રાજ્ય સરકારની નોકરીઓમાં ખેતીવાડી મદદનીશ, ગ્રામ સેવક અને તેની સમકક્ષ જગ્‍યાઓ પર નોકરી મેળવી શકે છે તેમજ પોતાની ખેતીમાં આધુનિક પદ્ધતિથી સુધારેલાં બિયારણ, પિયત પદ્ધતિ વગેરેની જાણકારીનો ઉપયોગ કરી, ખેતીવાડીમાં ઉત્‍પાદન વધારી, સ્‍વરોજગારી કરી શકે છે અથવા બિયારણ વગેરેનું ઉત્‍પાદન કરી, વેચાણ કરી, સ્‍વરોજગારી મેળવી શકે છે.

    લાઇવસ્‍ટોક ઇન્‍સ્‍પેકટર (પશુધન નિરીક્ષકાઃ

    રાજય સરકાર તથા પંચાયત હસ્‍તકનાં પશુ દવાખાનાઓમાં, ડેરીઓમાં, ખાનગી ડેરીઓમાં લાઇવસ્‍ટોક ઇન્‍સ્‍પેકટર તરીકે નોકરીની વિપુલ તકો રહેલી છે. આ ઉપરાંત પોતાનું પશુ સારવાર માટેનું દવાખાનું શરૂ કરી, સ્‍વરોજગારી પણ મેળવી શકે છે

    રાજય સરકાર તથા પંચાયત હસ્‍તકનાં પશુ દવાખાનાઓમાં, ડેરીઓમાં, ખાનગી ડેરીઓમાં લાઇવસ્‍ટોક ઇન્‍સ્‍પેકટર તરીકે નોકરીની વિપુલ તકો રહેલી છે. આ ઉપરાંત પોતાનું પશુ સારવાર માટેનું દવાખાનું શરૂ કરી, સ્‍વરોજગારી પણ મેળવી શકે છે.

    ગૃહ વિજ્ઞાન તાલીમ

    આદર્શ ગૃહિણી બની, પોતાના પગભર રહી, ગૃહ ઉધોગ પણ કરી શકે છે.

    બેકરી તાલીમઃ

    રાજયમાં ખાનગી ક્ષેત્રે આવેલ નામાંકિત બેકરીઓમાં કારીગર તરીકે નોકરી મળી શકે છે અને પોતાની જાતે સ્‍વતંત્ર રીતે બેકરી ઉધોગ શરૂ કરી, સ્‍વરોજગારી મેળવી શકે છે.

    મરઘાં ઉછેર તાલીમ :

    ખાનગી ક્ષેત્રે આવેલ મરઘાં ફાર્મ ઉપર નોકરી મેળવી શકે છે. અથવા આવી તાલીમ લઇ, મરઘાં ઉછેરનો ધંધો શરૂ કરી, સ્‍વરોજગારી કરવાની વિપુલ તકો રહેલી છે.

    ગ્રામ્‍ય કારીગર તાલીમ :

    ખેતીમાં વપરાતાં ઓજારો બનાવવાં, રિપેર કરવાં અને સુધારા-વધારા કરવા અંગેનો ધંધો શરૂ કરી, સ્‍વરોજગારી મેળવી શકે છે અથવા પોતાની ખેતીવાડી માટે સુધારેલાં ઓજારો વગેરે દ્વારા ઉત્‍પાદન વધારી શકે છે.

    માળી તાલીમ :

    બાગબગીચા ફાર્મ પાર્કમાં કામ મળે છે. ફૂલ છોડ ફલાવરના વેચાણ ઉત્‍પાદનનો પોતાનો કે વ્‍યવસાય કરી શકાય છે. શિષ્‍યવૃત્તિ માસિક રૂ. ૨૦૦/-

    બાગાયત ડિપ્‍લોમાં :

    બાગ બગીચા ફાર્મ પાર્ક કારર્કિદીમાં સુપર વાઇઝરની જોબ મળે ઇચ્‍છુક સ્‍વતંત્ર કામ કરી શકાય છે.

    અહીં પણ આપ વિસ્‍તૃત માહિતી / માર્ગદર્શન માટે કૃષિ માર્ગદર્શન માટે કૃષિ વિદ્યાલય / કૃષિ યુનિવર્સિટીઓનો સંપર્ક કરી શકો છો.

    ધોરણ ૧૦ પછી કેટલાક પ્રોફેશનલ કોર્સ

    તબીબી અને આરોગ્‍ય ક્ષેત્રના અભ્‍યાસક્રમો :

    આયુર્વેદ કંપાઉન્‍ડર

    ધોરણ ૧૦ પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે તબીબી ક્ષેત્રે પણ સુંદર કારકિર્દી છે. તેઓ આયુર્વેદ કંપાઉન્‍ડર તરીકે પણ કારર્કિદી ઘડી શકે છે.
    સરનામું : આ માટે સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય, આજવા રોડ, વડોદરા ખાતે ૧ વર્ષની મુદતનો આયુર્વેદ કમ્‍પાઉન્‍ડરનો કોર્સ ઉપલબ્‍ધ છે.
    વય મર્યાદાઃ ૧૬ થી ૨૩ વર્ષ તથા ધોરણ ૧૦ માં સંસ્‍કૃત રાખેલું હોવું જોઇએ.

    ફિમેલ હેલ્‍થ વર્કર

    વિવિધ જિલ્‍લાઓમાં આવેલી જિલ્‍લા પંચાયત હેઠળની સરકારી હોસ્પિટલ માં  ‘ફિમેલ હેલ્‍થ વર્કર’ નો અભ્‍યાસક્રમ ચાલતો હોય છે.
    વય મર્યાદા : ૨૫ થી ૩૫ વર્ષની બહેનો
    સમય મર્યાદા : દોઢ વર્ષ
    સં૫ર્ક : આ અંગે જિલ્‍લા પંચાયત દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવે છે. આ માટે જિલ્‍લાના મુખ્‍ય આરોગ્‍ય અધિકારી,
    જિલ્‍લા પંચાયતનો સં૫ર્ક કરવો.

    સેનેટરી ઇન્‍સ્‍પેકટર કોર્સ

    ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ સેલ્‍ફ ગવર્નમેન્‍ટ રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ‘સેનેટરી ઇન્‍સ્‍પેકટર’નો ૧૮ માસનો કોર્સ ચાલે છે. (ધો. ૧૨ પાસ માટે ૧ વર્ષની મુદત છે.)

    સેનેટરી ઇન્‍સ્‍પેકટર કોર્સ

    આ અભ્‍યાસક્રમ નીચેનાં સ્‍થળોએ મળે છે :
    (
    ૧) ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિ. ઓફ લોકલ સેલ્‍ફ ગર્વમેન્‍ટ (LSG), બરફીવાલા ભવન, ખાનપુર, અમદાવાદ ૧ ફોન (૦૭૯) ૨૫૬૦૧૨૯૬
    (
    ૨) ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિ. ઓફ LSG નહેરૂ ભવન રાજમહેલ રોડ, વડોદરા ફોન (૦૨૬૫)૨૪૩૩
    ૨૫૨ (૩) ALL LGS કિશોરસિંહ શાળા પાછળ, કોઠારીયા નાકા ચોક, રાજકોટ ફોન (૦૨૮૧)૨૨૨૯૬૦૪
    (
    ૪) ALL LGS મંછારપુરા, ગલેમની, સુરત ફોન (૦૨૬૧)૩૯૬૬૫૨૨ વેબસાઇટ www.aiilsg.org

    તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્‍ય સુપરવાઇઝર તરીકે જોબ મળે છે. ધોરણ ૧૦ અંગ્રેજી સાથે પાસ કરેલ હોય તથા ૧૮ વર્ષની વય ધરાવતા હોય તો અરજી કરી શકાય.

    આ સ્‍થળોએ લોકલ સેલ્‍ફ ગર્વમેન્‍ટ ડિપ્‍લોમાં ( LSGD) પણ ચાલે છે. જેના આધારે નગરપાલિકામાં જોબ મળી શકે.

    ડી. ફાર્મસી (આયુર્વેદ)

    આયુર્વેદ ફાર્મસી ડિપ્‍લોમાં કોર્સ બે વર્ષની મુદતનો જામનગર ખાતે મળે છે. તેની પ્રવેશ જાહેરાત અલગ આવે છે. લાયકાત ધો. ૧૦ પાસ છે.
    આ સરનામે સંપર્ક કરવો: ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફાર્માસ્‍યુટિકલ સાયન્‍સ (IAPS), ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, એકે જમાલ બિલ્‍ડિંગ, ગુરુનાનક રોડ, જામનગર - ૮ ફોન (૦૨૮૮)૨૫૫૫૩૪૬

    માત્ર સ્‍ત્રીઓ માટે :

    બાલ સેવિકા તાલીમ કેન્‍દ્ર ઇન્‍સ્‍ટિટયૂટ, નીલગિરિ હોસ્‍ટેલ, વલ્‍લભવિદ્યાનગર આણંદ  ખાતે એસ.એસ.સી. પાસ થયેલ બહેનો માટે આ એક વર્ષનો બાલસેવિકા અભ્‍યાસક્રમ ચાલે છે.

    મત્‍સ્‍યોદ્યોગ તાલીમ કેન્‍દ્ર, ગ્રીષ્‍મ કુંજ, જોગેશ્વર રોડ, વેરાવળ ખાતે ધોરણ ૧૦ પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે અત્‍યંત આકર્ષક અને કમાઉ કારકિર્દી માટે જરૂરી કોર્સ જેવા કે ફિશિંગ, ફિશ પ્રોસેસિંગ વગેરે કોર્સ ચાલે છે.

    ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્‍યાસક્રમો

    આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્‍થાપના ગુજરાત સરકારે કરેલી છે. ભારત સરકારે સ્‍થાપેલી ઇન્‍દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જે રીતે અંગ્રેજીમાં અને હિંદીમાં ભણાવે છે તે રીતે આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાતીમાં ભણાવે છે.

    જો તમે ધોરણ ૧૨ પાસ કરેલ ન હોય અથવા દસમા ધોરણથી ઓછું ભણેલા હો તો ગ્રેજ્યુએટ સુધી ભણવા માટે આંબેડકર ઓપન યુનિવર્સિટી સૌથી સારી છે. ઘેર રહીને, ધંધો કે નોકરી કરતાં કરતાં બી. એ. પાસ કરી શકો અથવા બી. કોમ. કરી શકો. બીજા સર્ટિફીકેટ કોર્સ પણ આ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવે છે. ફોર્મ કયાં મળે છે ?

    હવે ઓનલાઇન www.baou.edu.in પર જઇને એડમિશન કરાવી શકો છો અથવા નજીક ના સેન્ટર પર પણ જઇને પણ એડમિશન ની માહિતિ મેળવી શકો છો

    ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ઉપલબ્‍ધ અભ્‍યાસક્રમો

    .

    ડૉકટરેટ ઓફ ફિલોસોફી (Ph. D.) ઇન હ્યુમેનિટિઝ

    .

    સર્ટિફીકેટ ઇન ટૂરિઝમ માર્કેટિંગ (CTM)

    .

    માસ્‍ટર ઓફ આર્ટસ - અંગ્રેજી (MEG)

    .

    સર્ટિફીકેટ ઇન ટૂરિઝમ મેનેજમેન્‍ટ (CMT)

    .

    માસ્‍ટર ઓફ આર્ટસ હિન્‍દી (MHD)

    .

    સર્ટિફીકેટ ઇન ચાઇલ્‍ડ કેર એન્‍ડ ડેવલપમેન્‍ટ (CCCD)

    .

    માસ્‍ટર ઓફ આર્ટસ - સમાજશાસ્‍ત્ર (MSO)

    .

    સર્ટિફીકેટ ઇન પર્સનલ કમ્‍પ્‍યુટર સોફટવેર (CPCS)

    .

    સ્‍નાતક પદવી માટેનો પ્રારંભિક અભ્‍યાસક્રમ (BPP)

    .

    સર્ટિફીકેટ ઇન ટીચિંગ ઓફ ઇંગ્‍લિશ (CTE)

    .

    બેચલર ઓફ આર્ટસ ( B.A.)

    .

    સર્ટિફીકેટ ઇન એનવાયરમેન્‍ટ સ્‍ટડીઝ (CES)

    .

    બેચલર ઓફ કોમર્સ (B. COM.)

    .

    સર્ટિફીકેટ ઇન એમ્‍પાવરિંગ વિમેન થ્રુ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ્‍સ (CWDL)

    .

    પોસ્‍ટ ગ્રજ્યુએટ ડિપ્‍લોમાં ઇન ડિસ્‍ટન્‍સ એજ્યુકેશન (PGDDE)

    .

    સર્ટિફીકેટ ઇન કન્‍ઝયુમર પ્રોટેકશન (CCP)

    .

    ડિપ્‍લોમાં ઇન ક્રિએટિવ રાઇટિંગ ઇન ઇંગ્‍લિશ (DCE)

    .

    સર્ટિફીકેટ ઇન પર્ટીસિપેટરી ફોરેસ્‍ટ મેનેજમેન્‍ટ (CPFM)

    .

    ડિપ્‍લોમાં ઇન ક્રિએટિવ રાઇટિંગ ઇન હિન્‍દી (DCH)

    .

    સર્ટિફીકેટ ઇન કોમ્‍યુનિકેશન સ્‍કીલ્‍સ ઇન ઇંગ્‍લિશ લેવલ-૧ (CCSE)

    .

    * ડિપ્‍લોમા ઇન ફાયનાન્‍સીયલ મેનેજમેન્‍ટ (DFM)

    .

    સર્ટિફીકેટ ઇન કમ્‍પ્યુટર કન્‍સેપ્‍ટ - બી.એઓયુ. (CCC-BAOU)

    .

    ડિપ્‍લોમાં ઇન ટેક્ષ પ્રેકટિસ (ડાયરેકટ ટેક્ષીસ) (DDT)

    .

    સુવાવડ સહાયકનો પ્રમાણપત્ર અભ્‍યાસક્રમ (CTBA)

    .

    ડિપ્‍લોમાં ઇન એડવાન્‍સ કોસ્‍ટ એકાઉન્‍ટિંગ (DAA)

    .

    સારા અને જવાબદાર મા-બાપ બનવાનો પ્રમાણપત્ર અભ્‍યાસક્રમ (CCBP)

    .

    ડિપ્‍લોમાં ઇન એડવાન્‍સ એકાઉન્‍ટિંગ (DAA)

    .

    યોગવિજ્ઞાનનો પ્રમાણપત્ર અભ્‍યાસક્રમ (CYS)

    .

    ડિપ્‍લોમા ઇન ઇન ડાયરેકટ ટેક્ષીસ (DIT)

    .

    સર્ટિફીકેટ ઇન નેચરોપથી (CIN)

    .

    ડિપ્‍લોમાં ઇન ઇન્‍સ્‍યોરન્‍સ (DIN) * ડિપ્‍લોમાં ઇન ઓપરેશન રિસર્ચ (DOR)

    .

    સર્ટિફીકેટ ઇન હેન્‍ડલૂમ વિવર (CIHV)

    .

    ડિપ્‍લોમાં ઇન ફિઝિયોથેરાપી ફોર ધી બ્‍લાઇઈન્‍ડ (DIP)

    .

    સર્ટિફીકેટ ઇન કેનવર્કર (CINC)

    .

    માતૃબાળ આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણનો ડિપ્‍લોમાં (DMCH)

    .

    સર્ટિફીકેટ ઇન ઇન મોટર રિવાઇન્‍ડર (CIMR)

    .

    ગ્રામ્‍ય આરોગ્‍ય કાર્યકરનો ડિપ્‍લોમાં (DVHW)

    .

    સર્ટિફીકેટ ઇન કાર્પેન્‍ટર (CICP)

    .

    સર્ટિફીકેટ ઇન ફૂડ એન્‍ડ ન્‍યૂટીશન (CFN)

    .

    સર્ટિફીકેટ ઇન મિકેનિક (CIJM)

    .

    સર્ટિફીકેટ ઇન કમ્‍પ્‍યુટીંગ (CIC)

    .

    સર્ટિફીકેટ ઇન હ્યુમન રાઇટસ (CHR)

    બીપીપી અભ્‍યાસક્રમ પાસ કર્યાથી આ યુનિવર્સિટીના પ્રથમ વર્ષ બી. એ. / બી. કોમ. માં પ્રવેશ મેળવી શકાશે

    ચાટર્ડ એકાઉન્‍ટન્‍સી (સી.એ.)

    ઓકટોબર ૨૦૦૬ પછી થયેલા ફેરફાર મુજબ ચાર્ટડ એકાઉન્‍ટસની પ્રથમ પરીક્ષા CPT માટે ધોરણ ૧૦ પાસ પછી રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે અને આ CPT પરીક્ષા ધો-૧૨ (ગમે તે પ્રવાહ) ની પરીક્ષામાં એપીયર થયા બાદ આપી શકાશે. દર વર્ષે CPT ની પરીક્ષા (૪) વખત લેવાશે. તે પ્રારંભિક ફાઉન્‍ડેશન પરીક્ષા છે તેમાં ૪ પ્રશ્નપત્રો હોય છે. CPT પછી CA. ની બીજી પરીક્ષા PCC તથા તે બાદ ત્રીજી ફાઇનલ પરીક્ષા CA Final નિયમોને મુજબ આપી શકાય છે. હવે ધો. ૧૦ પાસ થવાથી સીએ CA માટેની તૈયારી થઇ શકે છે. વધુ વિગત આ સરનામેથી પ્રાપ્‍ય થશે

    ધો. ૧૦ પછી સામાન્‍ય પ્રવાહમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ ચાર્ટડ એકાઉન્‍ટસીના માટે તૈયારી કરી ૬૦ દિવસ પહેલા રજીસ્‍ટ્રેશન CPT માટે કરાવી શકે છે અને પરીક્ષાની તૈયારી - પ્રશિક્ષણના પ્રયાસો વહેલાસર કરી શકે છે.

    ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટસ ઓફ ઇન્‍ડિયા (ICAI)(WIRC) અન્‍વેષક, ૨૭,૩૫ પેરેડ, મુંબઇ-૪૦૦૦૦૫. અમદાવાદ ફોન (૦૭૯)૨૭૪૯૦૯૪૬ વેબ www.ahd.icai.org અમદાવાદ શાખા ૧૨૩, સરદાર પટેલ સોસાયટી, નારણપુરા સ્‍ટેડીયમ પાસે આવેલુ છે.

    ધોરણ ૧૦ પાસ પછી નોકરી ની તકો

    સ્‍ટાફ સિલેકશન કમિશનની મેટ્રિક લેવલ એકઝામ

    સ્‍ટાફ સિલેકશન કમિશન દ્વારા મેટ્રિક લેવલની બધી જ પોસ્‍ટ માટે એક  ભેગી પ્રાથમિક પરિક્ષા અને  અને ત્‍યારબાદ ફાઇનલ પરિક્ષા  લેવામાં આવે છે. તે જ રીતે સ્‍નાતક લેવલની બધી જ પોસ્‍ટ માટે પણ  પ્રિલિમિનરી એકઝામ અને ત્‍યાર બાદ ફાઇનલ એકઝામ લેવામાં આવે છે., સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કેન્‍દ્ર સરકારના વર્ગ-૩ કક્ષાના કર્મચારીઓની ભરતી થાય છે. જ્યારે UPSC વર્ગ -૧ અને વર્ગ -૨ કક્ષાના અધિકારીઓની ભરતી કરે છે

    ઇન્‍ડિયન આર્મીમાં સોલ્‍જર ટેકનિકલ (M.E.R.) એકઝામ

    અપરિણીત પુરુષ ઉમેદવારો કે જેઓ ધોરણ ૧૦ (મેટ્રિક) પાસ છે તથા ૧૬ થી ૨૩ વર્ષ વચ્ચેની વય ધરાવે છે, તેઓને ભારતીય ભૂમિદળમાં જોડાવાની આ પરીક્ષા એક સુવર્ણ તક પૂરી પાડે છે.

    ભરતીમેળા દ્વારા આર્મીમાં સોલ્‍જર જેવી  જગ્‍યાઓ માટે ભરતી

    શૈક્ષણિક લાયકાત તથા શારીરિક માપદંડ

    જગ્‍યાનું નામ

    શૈક્ષણિક લાયકાત

    વયમર્યાદા વર્ષ

    ઊંચાઇ સેમી

    છાતી સેમી

    વજન કિ.ગ્રા.

    સોલ્‍જર જનરલ ડ્યૂટી

    એસ.એસ.સી. પાસ

    ૧૬-૨૧

    ૧૬૭

    ૭૭-૮૨

    ૫૦

    સોલ્‍જર ટેકનિકલ અને નર્સિંગ આસિસ્‍ટન્‍ટ

    એસ.એસ.સી. પાસ (ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન વિષય સાથે) નોન મેટ્રિક)

    ૧૬-૨૩

    ૧૬૭

    ૭૭-૮૨

    ૫૦

    સોલ્‍જર (ટ્રેડર્સમેન)

    નોન મેટ્રિક

    ૧૬-૨૫

    ૧૬૫

    ૭૭-૮૨

    ૫૦

     

    std 10 pachi su karvu in gujarati
    ધોરણ ૧૦ પછી શું કરવુ જોઇએ ? 

     

     

    મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને ઉતારાને લગતી તેમની સમસ્યાને નિવારી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                            WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                        

    Post a Comment

    0 Comments

    Close Menu