વાજપાઇ બેન્કેબલ યોજના । Vajpayee Bankable Yojana 2023 । વ્યવસાય માટે 8 લાખ સુધીની લોન આપતી યોજના

વાજપાઇ બેન્કેબલ યોજના । Vajpayee Bankable Yojana 2023 । વ્યવસાય માટે 8 લાખ સુધીની લોન આપતી યોજના

વાજપાઇ બેન્કેબલ યોજના । Vajpayee Bankable Yojana 2023 । વ્યવસાય માટે 8 લાખ સુધીની લોન આપતી યોજના 

 

Short Briefing : વાજપાઇ બેન્‍કેબલ યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ? Vajpayee Bankable Yojana Gujarat Form pdf | Vajpayee Bankable Yojana Bank list | જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર યોજના । Subsidy Yojana Gujarat

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના 


 Vajpayee Bankable Yojana 2023

મિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી, ગાંધીનગર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન / યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે  અને  નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે  VBY યોજના હેઠળ લાભાર્થીઓને  ઉદ્યોગસેવા અને વેપારક્ષેત્રે લોન મળશે. અને આ લોન પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે.


    Highlight Point Of  Vajpayee Bankable Yojana 2023

    યોજનાનું નામ

    શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના

    યોજનાનો હેતુ

    આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

    લાભાર્થી

    ગુજરાતના પાત્રતા ધરાવતા તમામ નાગરીકો

    યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમ

    આ યોજના હેઠળ લાભાર્થી ને લાખ સુધીની લોન આપવામાં આવે છે.

    લોન પર મળવાપાત્ર સબસીડી

    આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/-
    સુધી સબસીડી મળવાપાત્ર થશે.

    Vajpayee Bankable Yojana  form pdf  શ્રી વાજપેઇ બેન્કેબલ યોજનાનુ ફોર્મ ડાઉનલોડ કરવા માટે 

     અહિં ક્લિક કરો

     

    વાજપાઇ બેન્કેબલ યોજનાનો લાભ મેળવવાની પાત્રતા (Eligibility Criteria)

    • વાજપાઇ બેન્કેબલ યોજનાની લાભાર્થીની પાત્રતા નીચે મુજબ છે.

    • ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
    • લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત મેળવેલી હોવી જોઈએ.
    •  અરજી કરનાર લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ.
    •  લાભાર્થીને જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય, તેને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.
    •  લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે.
    •  અરજદાર પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે.
    • લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
    •  આ યોજના હેઠળ અરજદારને vajpayee bankable yojana bank list જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે.
    • Vajpayee bankable yojana Gujarat લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે.
    •  સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને Vajpayee bankable Loan Yojana નો લાભ મળવાપાત્ર થશે.
    •  અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.

    વાજપાઇ બેંકેબલ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઇએ  ।Documents Required For Vajpayee Bankable Yojana

    લાભાર્થીઓને વાજપાઇ બેન્કેબલ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.

    1. શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC)
    2. પાસપોર્ટ સાઈઝનો ફોટો
    3. ચૂંટણીકાર્ડ
    4. લાભાર્થીનું આધારકાર્ડ (
    5. જન્મ નોંધણીનું પ્રમાણપત્ર
    6. શૈક્ષણિક લાયકાતની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)
    7. જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)
    8. 40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
    9. અરજદાર દ્વારા મેળવેલ તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર.
    10. જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો VAT/TIN નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.
    11. નક્કી થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. ( ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ)
    12. વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું ઈલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક

    બેંકો દ્વારા કેટલા રૂપિયા સુધી ધિરાણ મળી શકે છે ?

    વાજપાઇ બેન્કેબલ યોજના ઉધોગ,સેવા અને વેપાર ક્ષેત્રે ૮ લાખ સુધી લોન મળી શકે છે


    શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનામાં લોનની સબસિડીનો દર કેટલો છે?

    Commissioner of Cottage and Rural Industries Gujarat દ્વારા સહાય (સબસીડી)ના દર અલગ-અલગ નક્કી કરેલા છે. તથા વાજપાઈ બેંકેબલ લોન યોજના હેઠળ ઉદ્યોગસેવા અને વેપાર ક્ષેત્ર માટે સબસીડીના  દર નીચે મુજબ રહેશે.

    વિસ્તાર

    General (જનરલ)

    અનુસૂચિત જાતિ(SC), અનુસુચિત જન જાતિ(ST), માજી સૈનિક/ મહિલાઓ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગ

    ગ્રામ્ય વિસ્તાર

    25%

    40%

    શહેરી વિસ્તાર

    20%

    30%

    Vajpayee Bankable Yojana Subsidy

    શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનામાં સહાયની મહત્તમ મર્યાદા શું છે?

    કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગગાંધીનગર દ્વારા અલગ-અલગ ક્ષેત્રો માટે સહાય એટલે કે સબસીડી નક્કી કરેલ છે. જે નીચે મુજબ છે.

    ક્ષેત્ર

    સબસીડીની રકમની મર્યાદા
    (
    રૂપિયામાં)

    ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector)

    1,25,000/- (એક લાખ પચ્ચીસ હજાર)

    સેવા ક્ષેત્ર માટે (Service Sector)

    1,00,000/- (એક લાખ)

    વેપાર ક્ષેત્ર માટે (Business Sector)

     

     

    શહેરી વિસ્તારમાં જનરલ કેટેગરી માટે કુલ રૂ. 60,000/-

    ગ્રામ્ય વિસ્તારના જનરલ કેટેગરી માટે કુલ રૂ.  60,000/-

    શહેરી/ગ્રામ્ય બન્નેમાં
    અનામત કેટેગરી માટે 
    80,000/-


    નોધ:- દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે સહાય 1,25,000/-  રહેશે.

    આ પણ વાંચો મહિલા સ્વાવલંબન યોજના: મહિલાઓને પોતાનો વ્યવસાય શરુ કરવા અથવા વ્યવસાયના વિકાસ માટે મળશે ૨ લાખ સુધી ની લોન 

    ક્યા-ક્યા વ્યવસાય માટે લોન આપવામાં આવે છે?

    શ્રી વાજપેયી બેંકેબલ યોજના અન્‍વયે વિવિધ ધંધારોજગારસેવા અને વ્યવસાયના પ્રોજેક્ટ નક્કી થયેલ છે. કુલ-17 પ્રકારના Project Profile માં 395 પ્રકારના પેટા ધંધા-વ્યવસાયની યાદીઓ આપેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

    ક્રમ

    ક્ષેત્રનું નામ

    સંખ્‍યા

    1

    એન્‍જીનિયરીંગ ઉદ્યોગ

    53

    2

    કેમિકલ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગ

    42

    3

    ટેક્ષટાઈલ ઉદ્યોગ

    32

    4

    પેપર પ્રિન્‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ

    12

    5

    ખેત પેદાશ આધારિત ઉદ્યોગ

    10

    6

    પ્લાસ્ટિક ઉદ્યોગ

    22

    7

    ખાદ્ય પદાર્થ ઉદ્યોગ

    18

    8

    હસ્તકલા ઉદ્યોગ

    18

    9

    જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ

    17

    10

    ખનીજ આધારિત ઉદ્યોગ

    9

    11

    ડેરી ઉદ્યોગ

    5

    12

    ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ

    6

    13

    ઈલેક્ટ્રીકલસ / ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ

    18

    14

    ચર્મોદ્યોગ

    6

    15

    અન્ય ઉદ્યોગ

    23

    16

    સેવા પ્રકારના વ્યવસાય

    51

    17

    વેપાર પ્રકારના ધંધાઓ

    53

     કુલ

     

    395

    અગત્યની લિંક

    કુટિર અને ગ્રામ ઉધોગની વેબસાઇટ

    http://www.cottage.gujarat.gov.in/

    શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાની અરજી કરવા માટેની વેબસાઇટ

    https://blp.gujarat.gov.in/

    ઓનલાઇન અરજી કરવા માટેનું રજીસ્ટ્રેશન કરવા માટે

    અહિં ક્લિક કરો

    ઓનલાઇન અરજી કરવા માટે

    અહિં ક્લિક કરો

    શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ જોવા માટે

    અહીં ક્લિક કરો

    ઓનલાઇન અરજી કેવી રીતે કરવુ તેની સંપુર્ણ માહિતિ માટે (User Manual)

    અહીં ક્લિક કરો

    આ યોજનામાં વારંવાર પુછાતા પ્રશ્નો જોવા માટે

    અહીં ક્લિક કરો

    આવી જ માહિતિ વ્હોટસેપ માં મેળવવા માટે  

    અહીં ક્લિક કરો

    વાજપાઇ બેંકેબલ યોજનાની અરજી  કેવી રીતે  કરવી। How To Online Apply Shri Vajpayee Bankable Yojana

    ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા Bankable Loan Registration માટે નવું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. આ Bankable Scheme Portal દ્વારા વિવિધ યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે. આ આર્ટિકલ દ્વારા Vajpayee Bankable Yojana Online Registration કેવી રીતે કરવુંતેની Step-by-step માહિતી મેળવીશું.
    ·        સૌ પ્રથમ  https://blp.gujarat.gov.in/  વેબસાઇટ ઓપન કરો
    Shri Vajpayee Bankable Yojana
    Shri Vajpayee Bankable Yojana
    Image Credit:- Government Official Website (blp.gujarat.gov.in/)
    • Official Website ખોલ્યા બાદ “Bankable Loan Registration” પર ક્લિક કરવાનું રહેશે.
       જેમાં પોર્ટલ પર “REGISTER” પર ક્લિક કરો.
       રજીસ્ટર પર ક્લિક કરવાથી હવે તમારે Mobile Number અને Captcha Code નાખીને આગળ કાર્યવાહી કરવાની રહેશે.
    •  જેમાં પોર્ટલ પર “REGISTER” પર ક્લિક કરો.
    •  રજીસ્ટર પર ક્લિક કરવાથી હવે તમારે Mobile Number અને Captcha Code નાખીને આગળ કાર્યવાહી કરવાની રહેશે.

    Shri Vajpayee Bankable Yojana

    Shri Vajpayee Bankable Yojana

    Image Credit:- Government Official Website (blp.gujarat.gov.in/)

    · ત્યારબાદ લાભાર્થીએ Name, Email Id, Password અને Captcha Code નાખીને રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
    · લાભાર્થી દ્વારા સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા પછી Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.
    Shri Vajpayee Bankable Yojana

    Shri Vajpayee Bankable Yojana

    Image Credit:- Government Official Website (blp.gujarat.gov.in/)

    · જેમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા login કરવાનું રહેશે.
    · Bankable Scheme Portal પર Login કર્યા બાદ “New Application” કરવાનું રહેશે.
    · હવે તમે “Shree Vajpayee Bankable Yojana” પસંદ કરીને Online Application કરવાની રહેશે.
    · હવે તમારે Online Applicant Form માં Applicant Details અને Address ની વિગતો ભરવાની રહેશે.
    · ત્યારબાદ લાભાર્થીએ Scheme Details માં Project Details, Business Details તથા Finance Required ની માહિતી ભરવાની રહેશે.
    · લાભાર્થીએ આગળ Detail of Experience / Training ની તમામ માહિતી ભરીને “Save & Next” બટન પર ક્લિક કરવાનું રહેશે.
    · છેલ્લે Attachment માં Required Documents ની PDF ફાઈલ અપલોડ કરીને “Submit Application” બટન પર ક્લિક કરવાનું રહેશે.
    · છેલ્લે, જ્યાં તમારો ઓનલાઈન એપ્લિકેશન નંબર જનરેટ થઈને બતાવશે. જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
    · અરજી તથા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની સંપુર્ણ માહિતિ માટે અહિં ક્લિક કરો
    વાજપાઇ બેન્કેબલ યોજનાની સહાય માટે કરેલ અરજીનુ સ્ટેટસ જોવા માટે અહિં ક્લિક કરો

     


    શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અરજી ફોર્મ  Vajpayee Bankable Yojana Pdf

    કમિશનરકુટિર અને ગ્રામોદ્યોગગુજરાત સરકાર દ્વારા શ્રી વાજપાઈ બેંકબલ યોજના ફોર્મ નો નિયત નમૂનો તૈયાર કરેલા હતા. પરંતુ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા વાજપાઈ બેંકેબલ યોજનાની Online Application ચાલુ કરેલ છે. જેથી હવે લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે સાદુ અરજી ફોર્મ કે Vajpayee Bankable Yojana pdf  જરૂર રહેશે નહિ. ફોર્મ ડાઉન લોડ કરવા માટે અહિં ક્લિક કરો 

    Shree Vajpayee Bankable Yojana Helpline

    Shree Vajpayee Bankable Yojana  અંતગર્ત આ લોન યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. પરંતુ વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંબંધિત જીલ્લાના ‘જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર’ પરથી મેળવી શકાશે 

    FAQ’S-વારંવાર પૂછાતા પ્રશ્નો

    Q. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના નો હેતુ શું છે.
    યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

    Q. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનામાં શૈક્ષણિક લાયકાત કેટલી જરૂરી છે.
    ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા
    તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.

    Q. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનામાં લોન માટેની વય મર્યાદા શું છે?
    અરજદારની વય મર્યાદા ૧૮ વર્ષ થી ૬૫ વર્ષ સુધી હોવી જોઇયે.

    Q. બેંક મારફતે લોન ધિરાણની મહતમ મર્યાદા શું છે?
    બી.એલ.પી. પોર્ટલ દ્વારા અરજદાર ૮ લાખ સુધીની લોન ઉદ્યોગ/સેવા /વેપાર ક્ષેત્ર માટે લોન મેળવી શકે છે
    Q. Vajpayee Bankable Yojana Online નો લાભ ક્યા-ક્યા ક્ષેત્ર માટે મળે છે?
    જવાબ: ગુજરાતના લાભાર્થીઓને ઉદ્યોગ ક્ષેત્ર માટે, સેવા ક્ષેત્ર માટે તથા વેપાર ક્ષેત્ર માટે વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ મળે છે.
    Q. ગુજરાતના લાભાર્થીઓને ઉદ્યોગ ક્ષેત્ર માટે, સેવા ક્ષેત્ર માટે તથા વેપાર ક્ષેત્ર માટે વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ મળે છે.
    Q.વાજપાઇ બેન્કેબલ યોજનાની અરજી કેવી રીતે કરવાની હોય છે ?
    જવાબ આ યોજનાની સહાય મેળવવા માટે બી.એલ.પી પોર્ટલ માં ઓનલાઈન અરજી કરવાની હોય છે
    Q.ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટ કઇ છે ?
    ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટ https://blp.gujarat.gov.in/ છે.

    Q .આ યોજનામાં લાભાર્થી નો ફાળો કેટલો છે?
    જનરલ કેટેગરીમાં માટે ૧૦%
    અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ માટે ૫% છે

    મિત્રો આશા રાખુ છું કે આપને આ માહિતિ ઉપયોગી નિવડી હશે જો તમને આ માહિતિ ગમી હોય તો બીજા મિત્રોને શેર કરવા વિનંતી આ યોજના બાબતે કોઇ સમસ્યા હોય તો નજીકના જિલ્લા ઉધોગ કેન્દ્રની મુલાકાત લેવા વિનંતી.  www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર 

    Post a Comment

    0 Comments

    Close Menu