khedut akasmat vima yojana 2023 | ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf । ખેડૂત અકસ્માત વીમા યોજનાની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક માં

khedut akasmat vima yojana 2023 | ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf । ખેડૂત અકસ્માત વીમા યોજનાની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક માં

 ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજના 2023 | અકસ્માત માં અવસાન/અપંગતા પામનારના પરિવારને રૂપિયા ૨ લાખ સુધીનીઅ નાણાકિય સહાય પુરી પાડતી યોજના

  Short Briefing : Khedut akasmat vima yojana status check । khedut akasmat vima yojana form pdfખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf  જૂથ વીમા યોજના ફોર્મ ।  અકસ્માત મૃત્યુ સહાય યોજના

 

khedut aksmat vima yojana
khedut aksmat vima yojana

          ગુજરાત સામુહિક જુથ જનતા‌‌ અકસ્માત વિમા યોજના‌

           ગુજરાત સરકાર અને વિમા નિયામકશ્રી દ્વારા ગુજરાત સામુહિક જુથ અકસ્માત વિમા યોજના અમલમાં મુકવામા આવેલ છે. આ યોજનામાં વિવિધ ખાતાના વડા હેઠળ ની તમામ વિમા યોજનાઓને એક જુથમાં સમાવેશ કરવામાં આવેલ છે, હવે આ એક જ યોજનામાં ખાતેદાર ખેડુત,શ્રમિક,પ્રાથમિક માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાના અને કોલેજના વિધાર્થિઓ,પોલિસ કર્મચારીઓ,સફાઇ કામદાર,વિકલાંગ,નિરાધારવિધવા,સ્પોર્ટસ કોલેજના ટ્રેઇની, હિરાઘસુ કામદારો તેમજ જેલખાતાના કર્મચારીઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. જો અકસ્માત દરમ્યાન ઉપરની કેટેગરીમાં આવતા લાભાર્થીનું અવસાન થાય છે તો તેમને આ વિમા યોજનાનો લાભ મળવાપાત્ર છે. આજે આપણે આ કેટેગરી પૈકી ખેડુત ખાતેદારનું અકસ્માતમાં અવસાન થાય તો વિમા યોજનાનો લાભ મેળવવા વારસદારે કેવી રીતે અરજી કરવી?, આ યોજના હેઠળ કેટલા રુપિયાની સહાય મળવાપાત્ર છે?, વારસદાર કેવી રીતે અરજી કરી શકે?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.

 

    ખેડુત અકસ્માત વિમા યોજના 2023 

    ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ /કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજનાખેડુત અકસ્માત વિમા યોજનાનો મુખ્ય હેતુ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે.

    Highlight Point of khedut akasmat vima yojana

    યોજના નું નામ

    ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજના

     

    યોજનાનો હેતુ

    ખાતેદાર ખેડુતના પરિવારમાં કોઇ પણ સભ્યના અકસ્માતમાં અવસાનના કિસ્સામાં બે લાખની સહાય આપતી યોજના

     ખાતેદાર ખેડુત, તેના પત્નિ, પુત્ર કે પુત્રીના અકસ્માતમાંં અવસાન કે અપંગ થવાના કિસ્સામાં સહાય મળવા પાત્ર છે.

    લાભાર્થી

    ખેડુત ખાતેદાર

    Official વેબસાઇટ

    www.insurance.gujarat.gov.in/

    Official વેબસાઇટ

    www.dag.gujarat.gov.in/

    જૂથ વીમા યોજના ફોર્મ pdf

    ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

    ખાતેદાર ખેડુત અકસ્માત   વિમા યોજનાનો  ઠરાવ   ડાઉનલોડ કરવા માટે

    અહિં ક્લિક કરો

    ખેડુત અકસ્માત વિમા યોજનાનો લાભ 

    વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં તેઓની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોય તેમને યોજનામાં લાભ મળવાપાત્ર છે.

    ખાતેદાર ખેડુત  અકસ્માત વિમા યોજનાની સહાય ની પાત્રતા 

    • મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂતે  (વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરેલી હોય)
    • અથવા ખાતેદાર ખેડૂતના  સંતાન (પુત્ર/પુત્રી) અથવા ખાતેદાર ખેડૂતના પતિ / પત્ની હોવા જોઇએ.
    • મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલ હોય.
    • આપઘાત કે કુદરતી મૃત્યુનો આ યોજનામાં સમાવેશ થતો નથી.
    • ૧૫૦ દિવસ માં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરવાની હોય છે. 

    ખેડુત અકસ્માત વિમા યોજનામાં મળતી સહાય સહાય ધોરણ

    કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા:૧૩/૧૧/૨૦૧૮ ના સુધારા ઠરાવથી લાભાર્થીને નીચે મુજબની વીમા સહાય મળવાપાત્ર થાય છે.


    • અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં  રૂ. ૨.૦૦ લાખ
    • અકસ્માતને કારણે બે આંખ / બે અંગ / હાથ અને પગ / એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ ( આંખના કિસ્સામાં ૧૦૦% સંપૂર્ણ દૃષ્ટિ જવી, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગનાં કિસ્સામાં ઘૂંટણ ઉપરથી તદ્દન કપાયેલ હોય)
    • અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦% લેખ રૂ. ૧.૦૦ લાખ

     ખેડુત અકસ્માત વિમા યોજનાની અરજી સાથે નીચેના ડોક્યુમેન્ટ રજુ કરવાના હોય છે.

     

    • અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્‍ટ- ૧,,, ૩(A),,અને ૫
    • ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
    • પી.એમ. રીપોર્ટ
    • એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમ
    • મૃતકનુ મરણનુ પ્રમાણપત્ર, ઉંમરનો પૂરાવો
    • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ
    • મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ,
    • બાંહેધરી પત્રક
    • પેઢીનામુ
    • વારસદારના કેસમાં અસલ પેઢીનામુ (પતિ / પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સામાં)
    આ પણ વાંંચો:  જુથ જનતા અકસ્માત વિમા યોજના : 

    ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજનાની ની સહાયનુ વળતર મેળવવા માટે અરજી ક્યાં કરવી ?

    ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજનાનો લાભ મેળવવા માટે અવસાન પામેલ મૃતકના વારસદારે અથવા અંપંગતાના બનાવમાં લાભ લેવા માટે અરજદારે અરજી ફોર્મ ભરીને  ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ  જોડીને સાથે  તેમની અરજી  જિલ્લા પંચાયતમાં  ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે  આપવાની હોય છે. આ અરજી અકસ્માત બન્યાના ૧૫૦ દિવસની અંદર સબમિટ કરવાની હોય છે.

    ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજનાની માટે કરેલ અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવુ? | 

     Khedut akasmat vima yojana status check

    • લાભાર્થીએ ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજનાની અરજીનુંં સ્ટેટસ તપાસવા માટે સૌ પ્રથમ https://gsjjavy.gujarat.gov.in/claimsearch.php ને ઓપન કરો 
    • ત્યારબાદ અરજદારનું આધાર કાર્ડ/બેન્ક એકાઉન્ટ ની વિગતો દાખલ કરો 
    • ત્યારબાદ કેપ્ચા નાખીને સર્ચ પર ક્લિક કરો 
    • જેથી કરીને તમારી અરજી પર શુ કાર્યવાહી થયેલ છે તે જોઇ શકાશે.  

    khedut akasmat vima yojana important link 

    ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf

    khedut akasmat vima yojana form pdf

    ખેડુત અકસ્માત  વિમા યોજના ફોર્મ Pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

    વીમા દાવો ભરવા માટેનું ફોર્મ અને ઇન્ડેમ્નીટી બોન્ડનો નમુનો

     

    ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો

    જુથ વિમા યોજનાનો ઠરાવ

    ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો

    અમારી સાથે વ્હોટસેપથી જોડાવા માટે 

    અહીં  ક્લિક કરો 

    ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf

    Khedut Aksmat Vima yojana's FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

    1.     ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજના શું છે

    a.     ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજના એ અકસ્માત માં અવસાન પામનારના ખેડુતના પરિવારને અથવા અશકતતાના કિસ્સામાં  ખેડુત લાભાર્થીને  નાણાકિય સહાય પુરી પાડવાની યોજના છે.

    2.     ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજનાથી શું લાભ મળે છે ?

    a.     આ યોજનાથી અકસ્માતમાં  અવસાન પામનારના  પરિવારને યોજના પ્રમાણે ૨,૦૦,૦૦૦/  ( ૨ લાખ) સુધીની સહાય મળે છે

    3.     ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વિમા યોજનાની અરજી  કઇ રીતે કરવાની હોય છે ?

    a.     આ યોજનાની અરજી ડાઉનલોડ કરી સાથે જરૂરી દસ્તાવેજો સામેલ રાખી જે તે જિલ્લા પંચાયતની  ખેતિવાડી અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાની હોય છે

    4.     ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વિમા ની અરજી કેટલા સમય સુધી કરી શકાય  ?

    a.      ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત વિમા ની સહાય મેળવવાની અરજી અકસ્માત થયાના ૧૫૦ દિવસ સુધી આ યોજનાની અરજી ખેતિવાડી અધિકારી જિલ્લા પંચાયત ને કરવાની હોય છે

    મિત્રો  આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.comની મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

    Post a Comment

    0 Comments

    Close Menu