adarsh nivasi school admission 2024-25 | આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ માટેની સંપુર્ણ માહિતિ માટે અહીંં ક્લિક કરો

adarsh nivasi school admission 2024-25 | આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ માટેની સંપુર્ણ માહિતિ માટે અહીંં ક્લિક કરો

   આદિજાતિ વિભાગ દ્વારા  સંચાલિત આદર્શ નિવાસી શાળામાં  એડમિશન 2024-25 | ધોરણ માં એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થઇ ગયેલ છે.

Short Briefing : આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2024-25  આદર્શ નિવાસી સ્કુલમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા    એડમિશનની પ્રક્રિયા  હોસ્ટેલની સુવિધા સાથે ans.orpgujarat adarsh nivasi school admission |  online aplication  | Adarsh Nivasi school Gujarat List  adarsh nivasi shala list પ્રવેશ માટે કોલ લેટર ડાઉનલોડ કરો

આદર્શ નિવાસી શાળા એડમિશન 2024
આદર્શ નિવાસી શાળા એડમિશન 2024  

આદર્શ નિવાસી શાળા એડમિશન 2024

               સરકાર દ્વારા જરુરિયાતમંદ વિધાર્થીઓ ને સારુ શિક્ષણ  તેમજ હોસ્ટેલ ની સુવિધા  વિના મુલ્યે મળી રહે તે માટે આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાં આવતી હોય છે.ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ પ્રવેશ પરિક્ષા લેવામાં આવશે .જેમાં મેરિટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓને આદર્શ નિવાસી શાળાઓમાં એડમિશન આપવામાં આવશે. આ આર્ટિકલમાં આપણે આ બાબતે સંપુર્ણ માહિતિ મેળવીશું

    આદિ જાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ 2024

    ગુજરાત સરકાર દ્વારા  ના આદિજાતિ વિભાગ દ્વારા અનુસુચિત જનજાતિના (ST)  તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હતુથી ગુજરાત રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) ચાલે છે. જેમાં વિધાર્થીઓને વિના મૂલ્યે રહેવાજમવાગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે.

     આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ કેવી રીતે મળતો હોય છે ?

    આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ:

    આવનારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આદર્શ નિવાસી સ્કુલમાં ધોરણ ,  માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરવાની થતી હોય છે. અને મળેલ અરજી બાદ લેવાયેલ પરિક્ષાના આધારે  બનેલા પ્રોવિઝનલ   મેરીટ ના આધારે  ધોરણ પ્રવેશ આપવામાં આવતો હોય છે 

    તેમજ ધોરણ 10, થી 12 માં ખાલી પડેલ જગ્યા પર એડમિશન મેળવવા માટે જે તે આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો હોય છે.

    આદિજાતિ આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે પાત્રતાનું ધોરણ :

    ધોરણ ૮ પાસ કરેલ અને ધોરણ ૯ માં પ્રવેશ માટેની પ્રાવેશિક પરીક્ષામાં મેળવેલ ગુણ / ગ્રેડના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

    અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના છાત્રો માટે આવક મર્યાદા નથી.

    સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના છાત્રો માટે વાલીની વાર્ષિક આવક રાજય સરકારશ્રી દવારા વખતોવખત નકકી કરવામાં આવે તે મુજબ રહેશે.

        આદર્શ નિવાસી શળામાં પ્રવેશ માટે જાતિવાર જગ્યાઓનું પ્રમાણ

    અનુસૂચિત જન જાતિ માટે   માટે ૬૦%, આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૫%અનુસૂચિત જાતિ માટે ૧૦ %, અને . સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ  માન્ય સંખ્યાના ૧૫% પ્રવેશ  અનામત હોય છે 

    આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2024-25 Highlight Point

    યોજનાનું નામ

    આદિજાતિ સંચાલિત આદર્શ નિવાસી શાળા પ્રવેશ

    યોજનાનો હેતુ

    આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ

    કોણ પ્રવેશ મેળવી શકે ? 

    ધોરણ  અભ્યાસ  પુર્ણ કરેલ વિધાર્થીઓ/વિધાર્થિનિઓ

    official website 

    http://ans.orpgujarat.com/


    આદર્શ નિવાસી શાળાપ્રવેશ  2024-

    25 માટેનું  જાહેરનામુ જોવા માટે 

    અહિં ક્લિક કરો

    આદર્શ નિવાસી શાળાઓનું લિસ્ટ

     જોવા માટે

    અહી ક્લિક કરો 

    આદર્શ નિવાસી શાળા ના આચાર્યશ્રી

     નો સંપર્ક નંબર મેળવવા માટે

    અહી ક્લિક કરો        


    આ બાબતે માહિતિ મેળવવા માટે

     વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા માટે

    અહી ક્લિક કરો        


    આદશ નિવાસી શાળામાં ઓનલાઇન

     ફોર્મ ભરવા માટે

    અહીં ક્લિક કરો


    આદર્શ નિવાસી શાળાઓમાં ઓનલાઇન એડમિશન 2024-25

    · આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ માં પ્રવેશ મેળવવા માંગતા છાત્રો https://ans.orpgujarat.com આ વેબસાઇટ ઉપરથી ઓનલાઇન અરજી કરી કરી શકશે.

    ·   અરજી કરવા માટે આ વેબસાઇટ તા.૨૧/૦૩/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે ખુલશે તેમજ તા.૦૫/૦૪/૨૦૨૪ ના રોજ સાંજના ૧૮.૦૦ કલાકે બંધ થશે.

    ·     ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે કોઇ પણ વિધાર્થી મુશ્કેલી અનુભવે તો સંબંધિત શાળાના આચાર્યશ્રીઓ અથવા નજીકની આદર્શ નિવાસી શાળાઓના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે.

    ·   જરૂરી સુચનાઓ, પરીક્ષા કેન્દ્રો ધરાવતા જીલ્લા અને તાલુકાની યાદી તેમજ અનુસૂચિત જનજાતિની ૭૫ આદર્શ નિવાસી શાળાઓની નામ / સરનામાની વિગતવાર યાદી ઉપરોકત વેબસાઇટ તેમજ કમિશનરશ્રી આદિજાતિ વિકાસની વેબસાઇટ https://comm-tribal.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

    ·    . ઉમેદવારે તેઓની શાળાના આચાર્યશ્રી પાસેથી શાળામાં નોંધાયેલ ધોરણ ૮ ના છાત્ર તરીકેનો ૧૮ અંકડાનો આધાર ડાયસ નંબર ( Student U-DISE Number ) મેળવીને ઓનલાઇન અરજી ફોર્મમાં દર્શાવેલ જગ્યાએ લખવાનો રહેશે,    જેથી અરજી ફોર્મમાં મોટાભાગની વિગતો આપોઆપ જ ભરાઇ જશે.

    ·       સંબંધિત શાળાના આચાર્યશ્રીએ છાત્રોને Student U-DISE Number આપવાનો રહેશે, તેમજ શાળા કક્ષાએથી ઓનલાઇન ફોર્મ ભરવામાં મદદ કરવાની રહેશે. ઉમેદવારે અનુકૂળ પરીક્ષા કેન્દ્રના જીલ્લા અને તાલુકાની પસંદગી ચોકસાઇ પૂર્વક કરવાની રહેશે, પછીથી તેમાં કોઇ ફેરફાર થઇ શકશે નહીં.

    ·       અરજી ફોર્મમાં ફોટો તેમજ સહી માટેની દર્શાવેલ જગ્યામાં ઉમેદવારનો ફોટો તેમજ સહી જેપીજી ફોર્મેટમાં ( 20KB સુધીની ) અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ સંપર્ણ અરજી ફોર્મ ભરીને ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે.

    ·       ઉમેદવારે ઓનલાઇન અરજી ફોર્મ સાથે અન્ય કોઇપણ દસ્તાવેજો/ પ્રમાણપત્રો અપલોડ કરવાના નથી, પરંતુ, ઉમેદવારની મેરીટના ધોરણે પસંદગી થયા પછી તેમને આદર્શ નિવાસી શાળાની પસંદગી માટે કાઉન્સેલીંગ માટે બોલાવવામાં આવશે,

    ·        તે સમયે તમામ અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. પ્રવેશ મેળવતી વખતે નિવાસી શાળાના આચાર્યશ્રી સમક્ષ જરૂરી તમામ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવી તેની એક પ્રમાણિત નકલ નિવાસી શાળાના આચાર્યશ્રીને આપવાની રહેશે. પ્રવેશ મેળવતી વખતે રજૂ કરેલ પ્રમાણપત્રો ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતો મુજબના હશે તો જ પ્રવેશ આપવામાં આવશે.

    આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ પરિક્ષા માટે કોલ લેટર

    ·        ઓનલાઇન અરજીફોર્મમાં ઉમેદવારે પસંદ કરેલ જીલ્લો અને તે જીલ્લાના આપેલ તાલુકાઓમાંથી પસંદ કરેલ તાલુકો ધ્યાને લઇ જે તે તાલુકાના કોઇ એક પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારની ફાળવણી કરવામાં આવશે.

    ·        . પ્રવેશપત્ર (હોલ ટીકીટ) તા.૨૦/૦૪/૨૦૨૪ પછીથી ઉક્ત વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

    આદર્શ નિવાસી પ્રવેશ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

    દર્શ નિવાસી શાળા પ્રવેશ પરીક્ષાનું માળખું.:

    ·        પરીક્ષા આગામી તા.૨૮/૦૪/૨૦૨૪ (રવિવાર) ના રોજ યોજવામાં આવશે, પરીક્ષાના દિવસે ઉમેદવારે બપોરે ૧૪:૦૦ કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે. પરીક્ષાનો સમય બપોરના ૧૫.૦૦ થી ૧૭.૦૦ કલાક સુધીનો રહેશે, પ્રા

    ·        વેશિક પરીક્ષા ધોરણ ૮ ના અભ્યાસક્રમને અનુલક્ષીને લેવાશે, પ્રશ્નપત્રમાં ભાષા કૌશલ્ય ક્ષમતા (અંગ્રેજી / ગુજરાતી / હિન્દી), ગણિત, વિજ્ઞાન તેમજ બુધ્ધિમત્તાને લગતા વિષયોમાંથી કુલ- ૧૦૦ માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો પુછવામાં આવશે.

    ·         પરીક્ષા ઓ.એમ.આર (OMR) પધ્ધતિથી લેવામાં આવશે, તેમજ પ્રશ્નપત્ર લખવા માટેનો કુલ સમય ૨:૦૦ કલાક નો રહેશે.

    ·        .

    આદિજાતી આદર્શ નિવાસી શાળા પ્રવેશ 2024 અગત્યની તારીખો

    ·        ઓનલાઇન અરજીફોર્મ ભરવાની તારીખ : ૨૧, માર્ચ ૨૦૨૪ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૫, એપ્રિલ ૨૦૨૪ સાંજના ૧૮-૦૦ કલાક સુધી.

    ·        પરીક્ષાની તારીખ : ૨૮ એપ્રિલ ૨૦૨૪ (રવિવાર)

    ·        પરિણામ જાહેર કરવાની તારીખ : પરિણામ આવશે ત્યારે વેબસાઇટ પર મુકવામાં આવશે

    ·        અરજીફોર્મ ભરવાની બાબતમાં જો કોઇ વિદ્યાર્થીઓને મુશ્કેલી જણાય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવા વિનંતી

    ·         સંબંધિત જિલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, મદદનીશ કમિશ્નરશ્રી (આ.વિ) ની કચેરી, આશ્રમશાળા અધિકારીશ્રીની કચેરી, પ્રાયોજના અધિકારીશ્રી-તાલાલાની કચેરી, આદિજાતિ વિકાસ અધિકારીશ્રી-આહવા-ડાંગની કચેરી તેમજ આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે.

        FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

    1.   આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ કેવી રીતે મળે છે ?

    a . આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે ત્યાર બાદ લેવાયેલ પરિક્ષા માં મેળવેલ ગુણ ના  ના આધારે પ્રોવિઝનલ  મેરીટ યાદી બહાર પડતી હોય છે  અને આ યાદીના આધારે સ્કુલની ક્ષમતા પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હોય છે.

    2. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવાથી શું લાભ મળે છે ?

    a. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવાથી ધોરણ થી ૧૨ સુધી વિનામુલ્યે ગુણવતા વાળુ શિક્ષણ મળે છે .તેમજ સ્કુલમાં ગુણવતા વાળુ ભોજન તેમજ ગણવેશ સાથે હોસ્ટેલ સુવિધા મળે છે.

    3.  આદર્શ નિવાસી શાળામાં કઇ કઇ કેટેગરીના વિધાર્થીઓને પ્રવેશ મળી શકે છે ?

    a. આદર્શ નિવાસી શાળામાં કેટેગરીના ધોરણ પ્રમાણે અનુસુચિત જાતિ,અનુસુચિત જન જાતિ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને સંખ્યાના ધોરણે  પ્રવેશ મળે છે.

    મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને  તેમને યોજનાનો લાભ અપાવી શકાય તેમજ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!  આવી વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

     આ પણ વાંચો : 

    Post a Comment

    2 Comments

    Close Menu