esamaj kalyan | આદર્શ નિવાસી શાળા એડમિશન 2024-25 । વિધાર્થીઓને મળશે વિના મુલ્યે ભણવા તથા રહેવાની સગવડ। તમામ માહિતિ માટે અહિં ક્લિક કરો

esamaj kalyan | આદર્શ નિવાસી શાળા એડમિશન 2024-25 । વિધાર્થીઓને મળશે વિના મુલ્યે ભણવા તથા રહેવાની સગવડ। તમામ માહિતિ માટે અહિં ક્લિક કરો

આદર્શ નિવાસી શાળામાં એડમિશન 2024-25 | ધોરણ ૯ થી ૧૨ માં એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જાહેરાત(શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫) આદર્શ નિવાસી શાળામાં ફોર્મ ભરવાના શરૂ થઇ ગયા છે સંંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો
adarsh nivasi school admission
adarsh nivasi school admission
Short Briefing : આદર્શ નિવાસી શાળામાં એડમિશન 2024-25   આદર્શ નિવાસી સ્કુલમાં એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા  । એડમિશન મેળવવાની પ્રક્રિયા  એડમિશનની પ્રક્રિયા  હોસ્ટેલની સુવિધા સાથે । esamajkalyan adarsh nivasi school admission |  online aplication  | Adarsh Nivasi school Gujarat List  adarsh nivasi shala list  std 11 | Adarsh Nivasi Shala Online Admission | Adarsh Nivasi school Gujarat List pdf | Adarsh nivasi school gujarat list pdf in gujarati download  | adarsh nivasi shala  | આદર્શ નિવાસી શાળા એડમિશન 2024

adarsh nivasi shala information in gujarati

    ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જરુરિયાતમંદ વિધાર્થીઓ ને સારુ શિક્ષણ સાથે હોસ્ટેલ ની સુવિધા વિના મુલ્યે મળી રહે તે માટે આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિભાગ, નિયામક શ્રી અનુસુચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસતિ જાતિ કલ્યાણ દ્વારા આદર્શ નિવાસી શાળાઓ નુ સંચાલન કરવામાં આવે છે.

      નિયામકશ્રી વિકસતિ જાતિ કલ્યાણ અને અનુસુચિત જાતિ કલ્યાણ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં એડમિશન  માટે સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની હોય છે અને ત્યાર બાદ આવેલ અરજીના પ્રોવિઝનલ મેરિટના આધારે એડમિશન મળતો હોય છે 

આદર્શ નિવાસી શાળાઓમાં એડમિશન અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૪-૨૫

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) ચાલે છે. જેમાં વિધાર્થીઓને વિના મૂલ્યે રહેવાજમવાગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે. 

આ નિવાસી શાળાઓ માધ્યમિક વિભાગ ધોરણ-૯ થી ૧૨  સુધીની છે. આ શાળાઓમાં એડમિશન મેળવવા માટે કેવી રીતે અરજી કરવી?,એડમિશન મેળવવા માટે કેવી રીતે ફોર્મ ભરવા?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.

 આદર્શ નિવાસી શાળાઓમાં એડમિશન કેવી રીતે મળતો હોય છે ?

આદર્શ નિવાસી શાળાઓમાં એડમિશન 2024:

આવનારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે આદર્શ નિવાસી સ્કુલમાં ધોરણ ૯ ,૧૦ અને ૧૨ માં એડમિશન મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરવાની થતી હોય છે. અને મળેલ અરજીના બનેલા પ્રોવિઝનલ   મેરીટના આધારે ધોરણ ૯,૧૦ અને ૧૧ માં  એડમિશન આપવામાં આવતો હોય છે ,  ફોર્મ ભર્યા બાદ  એડમિશન બાબતે વધુ માહિતિ માટે જે તે  આદર્શ નિવાસી શાળાઓના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે.

આદર્શ નિવાસી શાળામાં એડમિશન માટેની લાયકાત :

  •  આદર્શ નિવાસી શાળાઓમાં ધો.૯ થી ૧૨ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની હોય છે . અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇનથી અપલોડ કરવાના હોય છે .

    ધો.૯ થી ધો.૧૨ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઓનલાઈન અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.

    ધો.૧૦ ના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક બોર્ડ ધ્વારા માર્કશીટ ઈશ્યુ કર્યા બાદ ધોરણ-૧૧ માં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની હોય છે.

    પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ જે ધોરણમાં પ્રવેશ મેળવવાનો હોઇ તેના પાછળના ધોરણની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં-ઓછા ૫૦% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.

    કન્યાઓના કિસ્સામાં ૪૫% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકશે.

    અનુ. જાતિ, અનુ. જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત/અતિ પછાત/વિચરતી વિમુકત જાતિના બાળકો , તેમજ અપંગ, વિધવા તથા ત્‍યક્તા બહેનોના બાળકોના કિસ્‍સામાં ૪૫% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ  અરજી કરી શકશે.

    વિદ્યાર્થીના પિતા/વાલીની વાર્ષિક આવક  રૂ. ૬ લાખ થી વધુ  ન હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. 

  • દરેક વિધાર્થી વિકસતી જાતી સંચાલિત આદર્શ નિવાસી અથવા અનુસુચિત જાતિ સંચાલિત સ્કુલમાં એડમિશન મેળવી શકે છે તે માટે જે તે કેટેગેરી માં અલગ અલગ એડમિશન ફોર્મ ભરવાનું રહેશે. 

    આદર્શ નિવાસી શળામાં એડમિશન માટે જાતિવાર જગ્યાઓની ટકાવારી

  • આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૬૦%, આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૫%, અનુસૂચિત જાતિ માટે ૧૨.૫%, અને અનુસૂચિત જન જાતિ માટ ૧૨.૫% બેઠકો ફાળવવામાં આવે છે. ઉપરાંત મકાનની કુલ ક્ષમતાના ૫% દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત/વિચરતી અને વિમુકત જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યાના ૧૦% પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.

  • અનુસુચિત જાતિ કલ્યાણ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં ધો. ૯ તથા ન્યુ એસ.એસ.સી. પછાતવર્ગના તેમજ અન્ય પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે નિયત કરેલ ટકાવારી પ્રમાણે એડમિશન મેળવી શકાશે.

ફોર્મ ભરવા માટે જરૂરી  ડોક્યુમેન્ટ

  • જાતિ નો દાખલો
  • આવક નો દાખલો
  • શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક ની નકલ
  • છેલ્લા વર્ષ નું ગુણપત્રક (માર્કશીટ )
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો 

આદર્શ નિવાસી શાળામાં એડમિશન ૨૦૨૪-૨૫ Highlight Point

યોજનાનું નામ

આદર્શ નિવાસી શાળા એડમિશન

યોજનાનો હેતુ

ધોરણ ૯ ,૧૦, ૧૧ અને ૧૨ માં

 આદર્શ નિવાસી શાળામાં એડમિશન

લાભાર્થી

ધોરણ ૮,,૧૧ માં અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ/વિધાર્થિનિઓ

ધોરણ ૯  થી ૧૧  માં આદર્શ નિવાસી શાળામાં  એડમિશન માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ


online ભરેલુ ફોર્મ  આદર્શ નિવાસી શાળા/)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી ખાતે સબમિટ કરવાની છેલ્લી તારીખ

તા.૦૮/૦૫/૨૦૨૪ થી

 તા.૦૭/૦૬/૨૦૨૪ સુધી

 

તા.૦૯/૦૬/૨૦૨૪ 

 


ઓનલાઇન એડમિશનનું ફોર્મ ભરવા  માટે

 

 અહીં કલિક કરો

ધોરણ ૯ અને ૧૧ માં આદર્શ નિવાસી શાળામાં એડમિશન ની જાહેરાત જોવા માટે


અહિં ક્લિક કરો

 

અહી ક્લિક કરો 

બહેનો માટે વિકસતી જાતી કલ્યાણ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી સ્કુલોની યાદી જોવા માટે (Adarsh nivasi school gujarat list pdf in gujarati pdf)

અહિં ક્લિક કરો 

ભાઇઓ માટે વિકસતી જાતી કલ્યાણ દ્વારા સંચાલીત આદર્શનિવાસી સ્કુલોની યાદી જોવા માટે (Adarsh nivasi school gujarat list pdf in gujarati pdf)

અહિં ક્લીક કરો 

બહેનો અને ભાઇઓ માટે અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલીત આદર્શ નિવાસી સ્કુલોનુ લિસ્ટ  જોવા માટે  (Adarsh nivasi school gujarat list pdf in gujarati pdf )

 અહી ક્લિક કરો 

ઇ સમાજ કલ્યાણ પર

રજીસ્ટર કરવા અને ફોર્મ ભરવા

 અંગેની માહિતિ માટે

અહિં ક્લિક કરો

પરિણામ માટે

અહીં ક્લિક કરો 

આવી જ વધુ માહિતિ માટે અમારી સાથે વ્હોટસેપ થી જોડાવા માટે

અહી ક્લિક કરો

 આદર્શ નિવાસી શાળામાં એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 

  • આદર્શ નિવાસી શાળામાં એડમિશન મેળવવા માગતા વિધાર્થીઓએ esamajkalyan પોર્ટલ પર જઇને પોતાનુ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. 
  • ત્યારબાદ પોતાનુ usre id પાસવર્ડથી લોગીન કર્યા બાદ વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા એડમિશન વિકલ્પ પર ક્લિક કરવાનું હોય છે. 
  • ખુલેલા ફોર્મ માં તમારી વ્યક્તિગત તેમજ અભ્યાસની વિગતો ભરવાની હોય છે. 
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એકવાર અરજીની વિગતો તપાસી લેવી અને ત્યારબાદ જ સબમીટ પર ક્લિક કરવુ.
  • ઓનલાઇન અરજી કરેલ વિદ્યાર્થીએ ઓનલાઇન અરજીની કોપી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટની હાર્ડકોપી જે-તે જિલ્લાની આદર્શ નિવાસી શાળા અથવા જિલ્લા નાયબ નિયામકશ્રી(વિ.જા)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી(વિ.જા)ની કચેરીમાં જમા કરાવવાની રહેશે. હાર્ડકોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો પણ સાથે લઈ જવા જેની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવશે.
  • આ કામગીરી વિદ્યાર્થીએ અરજી કર્યાથી મોડામાં મોડી તા.૦૯/૦૬/૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. હાર્ડકોપી જમા ન કરાવનારની અરજી મંજૂરી પ્રક્રિયામાં કે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે નહિ, તેની તકેદારી રાખવી.
  • સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર અરજી મંજૂર કરીને મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.

એડમિશન માટેની પ્રક્રિયા 

  • એડમિશન માટે મળેલ અરજીઓ મુજબ ગુણના આધારે બનેલ મેરીટ ના આધારે   એડમિશન આપવામાં આવતો હોય છે .
  • એડમિશન માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈનથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે માટે વિદ્યાર્થીએ નિયમિત esamajkalyan  વેબસાઈટ જોવાની રહેશે . તેમજ પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સમાવેશ થયેલ  વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોની ચકાસણી માટે SMS અને E-mail થી  જાણ કરવામાં આવશે.
  •  
  • ઓનલાઈન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ બાદ  મેરીટ યાદીમાં સમાવેશ થયેલ  વિદ્યાર્થીઓએ સંબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની હોય છે.
  •  જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને એડમિશન આપવામાં આવશે નહિં.
  • આથી તમામ મિત્રોને ઓનલાઇન અરજી કરતી વખતે તેમની વિગતો ચોકસાઇ પુર્વક ભરવા વિનંતી છે 

    આદર્શ નિવાસી શાળા FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.   આદર્શ નિવાસી શાળામાં એડમિશન કેવી રીતે મળે છે ?

a . આદર્શ નિવાસી શાળામાં એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે ત્યાર મળેલ અરજી ના ગુણ ના આધારે પ્રોવિઝનલ  મેરીટ યાદી બહાર પડતી હોય છેે અનેે આ યાદીના આધારે સ્કુલની ક્ષમતા પ્રમાણે એડમિશન આપવામાં આવતો હોય છે.

2. આદર્શ નિવાસી શાળામાં એડમિશન મેળવવાથી શું લાભ મળે છે ?

a. આદર્શ નિવાસી શાળામાં એડમિશન મેળવવાથી ધોરણ ૯ થી ૧૨ સુધી વિનામુલ્યે ગુણવતા વાળુ શિક્ષણ મળે છે .તેમજ આ સ્કુલમાં ગુણવતા વાળુ ભોજન તેમજ ગણવેશ સાથે હોસ્ટેલ સુવિધા મળે છે.

3.  આદર્શ નિવાસી શાળામાં કઇ કઇ કેટેગરીના વિધાર્થીઓને એડમિશન મળી શકે છે ?

a. આદર્શ નિવાસી શાળામાં કેટેગરીના ધોરણ પ્રમાણે અનુસુચિત જાતિ,અનુસુચિત જન જાતિ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને સંખ્યાના ધોરણે  એડમિશન મળે છે.

 

મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને એડમિશનને લગતી  તેમની સમસ્યાને નિવારી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

આ પણ જુઓ આઇખેડુત પોર્ટલ પર બાગાયતી યોજના માટે અરજી કરો 

આ પણ જુઓ વાછરડી સહાય યોજના માટે મળશે ૩૦૦૦ ની સહાય  


આ પણ વાંચો વર્ષ 2024 માં વિવિધ સંસ્થામાં એડમિશન ની  માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો 

આ પણ જુઓ: વર્ષ ૨૦૨4 માં ITI માં એડમિશન મેળવવાના ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો     


             મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!


 આ પણ વાંચો : 

તમામ સરકારી યોજનાઓની માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો                                                                                                                                             

 

 

Post a Comment

0 Comments

Close Menu