(seb exam )pse sse પરિક્ષા નું પરિણામ જાહેર | PSE SSE નું પરિણામ જાણો એક જ ક્લિકમાં
PRIMARY-SECONDARY SCHOLARSHIP EXAM 2024 । ગુજરાત શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2024 EXAM RESULT 2024
પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2024 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, ગુજરાત દ્વારા પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માં ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ તા.28/04/2024 ના રોજ પરિક્ષા લેવામાં આવી હતી આ પરિક્ષાનું પરિણામ આજે તા.24-06-2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તો આ પરિણામ કેવી રીતે જોવુ તેની સંપુર્ણ માહિતિ મેળવીશું.
PSE સ્કોલરશિપ પરિક્ષાના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ | NMMS Scholarship |
પરિણામ અંગેની જાહેરાત જોવા માટે | |
પરિણામ જોવા માટે | |
PSE SSE પરિક્ષા નું પરિણામ જોવા માટે અહિં ક્લિક કરો
વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
- સૌ પ્રથમ http://www.sebexam.org પર જવું.
- "print Result" પર Click કરવું.
- તમારું પરિણામ મેળવવા માટે તમારો Seat number અને જન્મ તારીખ Enter કરો અથવા તમારો આધાર ડાયસ નંબર અને જન્મ તારીખ Enter કરો. પછી સબમિટ પર ક્લિક કરો
PRIMARY-SECONDARY SCHOLARSHIP EXAM 2024
પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
· અભ્યાસક્રમ: પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
· પરીક્ષા ફી; પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
· પરીક્ષા પેપર: આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જવાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
આ પણ વાંચો: NMMS શિષ્યવૃતિ યોજના: આ યોજના મા મળે છે રૂ 48000 ની શિષ્યવૃતિ, ધોરણ 8 મા ભણતા વિદ્યાર્થી કરી શકે છે અરજી
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
· અભ્યાસક્રમ: માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 6 થી 8 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
· પરીક્ષા ફી; માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
· પરીક્ષા પેપર: આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જ્વાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
0 Comments